Gujarati News

Gujarati News

News of Tuesday, 12th November 2019

મોરબી પાસે મજુર વિજય આદિવાસીની હત્યા

લખધીરપુર રોડ પર હત્યા કરાયેલ હાલતમાં લાશ મળીઃ બોથડ પદાર્થના ઘા ઝીંકી ઢિમ ઢાળી દેવાયાનું ખુલ્યુઃ તપાસનો ધમધમાટ

મોરબી તા. ૧૨: મોરબીના લખધીરપુર રોડ પર એક પરપ્રાંતીય યુવાનનો હત્યા કરાયેલ મૃતદેહ મળી આવતા ચકચાર મચી છે અને તાલુકા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

 બનાવની મળતી માહિતી મુજબ મોરબીના લખધીરપુર રોડ પરની સેવેન સિરામિક ફેકટરીમાં રહીને મજુરી કરતોં અને મૂળ એમ્પીનો રહેવાસી યુવાન વિજય ખીમજી ગણાવા આદિવાસી (ઉ.વ.૨૧) નામના યુવાનનો હત્યા કરાયેલ મૃતદેહ હોવાની માહિતી તાલુકા પોલીસને મળી હતી અને મોરબી તાલુકા પોલીસ ટીમ સ્થળ પર પહોંચીને મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડી વધુ તપાસ ચલાવી છે

બનાવ અંગે તાલુકા પોલીસ મથકના જાડેજા વધુ તપાસ ચલાવી રહયા છે.

તપાસનીસ અધિકારી પી.એસ.આઇ જાડેજાએ જણાવ્યુ હતુ કે પ્રાથમીક તપાસમાં આદિવાસી યુવાનને બોથર્ડ પદાર્થના ઘા ઝીંકી પતાવી દેવાયાનું ખુલ્યુ છે. મૃતક વિજય પરણિત હતો. પરિવારજનોએ કોઇના પર શંકા વ્યકત કરી નથી પણ વિવિધ દિશામાં તપાસ શરૂ કરાઇ છે.

(4:53 pm IST)