Gujarati News

Gujarati News

News of Tuesday, 12th November 2019

જામજોધપુરમાં ધાર્મિક સ્થળોની આજુબાજુ ગંદકીના ગંજથી લોકોમાં ભારે રોષ

જામ જોધપુર તા. ૧રઃ તાલુકાના ગીંગલી ગેઇટ વિસ્તારમાં જોરાવરપીર બાપાની દરગાહ તથા આજુબાજુમાં તથા વાઘાણી પરસાણીયા તથા ભાલીડિયા પરિવારના દેવસ્થાનો આવેલ તેમજ બાજુમાં આવેલ ખુલ્લી જગ્યા પર આજુબાજુના રહેવાસીઓ દ્વારા ઢોરના છાણ તથા ઉકરડા કરતા હોય તથા ગંદકી ફેલાવતા હોય તથા આ જગ્યા પર ગંદકી થવાથી અવાર નવાર રોગચાળો ફાટી નીકળતો હોય પુષ્કળ પ્રમાણમાં મચ્છર તથા જીવજંતુ નીકળતા હોય અહિં રહેતા અન્ય બીજા રહેવાસીઓ ત્રાસ ભોગવતા હોય તેમજ આજુબાજુના અમુક માથાભારે રહેવાસીઓ ધરાર ગંદકી ઉભી કરતા હોય આવા લોકો આરોગ્ય સાથે ચેડા કરતા હોય અહિં ગંદકી દુર કરી કમ્પાઉન્ડ હોલ બનાવી આપવા અહિંના રહીશ ધોબી લક્ષ્મણભાઇ કચરાભાઇ રાઠોડ તથા અન્ય નગરજનોએ ચીફ ઓફિસરને પત્ર પાઠવી કરી છે.

નગર પાલિકા સફાઇ તંત્રનું શું ધ્યાન નથી પડતું સફાઇ કામદારોના સુપરવાઇઝર અધિકારી આ રોડ ઉપરથી અનેકવાર નીકળે છે  આ રોગચાળો ફેલાવતી ગંદકીને 'થર' કેમ નજર અંદાજ કરે છે તેમ ચર્ચાને પાત્ર છે.

(10:48 am IST)