Gujarati News

Gujarati News

News of Tuesday, 12th November 2019

મોરબીમાં કોંગ્રેસ દ્વારા તા. ૧૪ ને ગુરુવારે ખેડૂત મહાસંમેલન

મોરબી,તા.૧૨:  જીલ્લા કોંગ્રેસ સમિતિ પ્રેરિત ખેડૂત મહા સંમેલન તા. ૧૪ ને ગુરુવારે સવારે ૧૦ કલાકે નવા બસ સ્‍ટેન્‍ડ પાસે, સરદાર બાગ મોરબી ખાતે યોજાશે જે સંમેલન બાદ રેલી સ્‍વરૂપે કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવશે

તાજેતરમાં ગુજરાતમાં અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદથી ખેડૂતોનો ખરીફ પાક મગફળી, તલ, કપાસ, એરંડા અને કઠોળ નિષ્‍ફળ ગયા છે અને ખેડૂતોને નુકશાન વેઠવું પડ્‍યું છે ત્‍યારે નુકશાનીના વળતર પેટે ખેડૂતો તરફથી સરકારને વારંવાર લીલો દુષ્‍કાળ જાહેર કરવાની માંગ કરવામાં આવી છે છતાં ખેડૂતોની વ્‍યાજબી માંગ સરકાર ધ્‍યાને લેતી ના હોય અને જગતના તાતની અવગણના કરી મશ્‍કરી કરતી હોય જેથી મોરબી જીલ્લા કોંગ્રેસ સમિતિ પ્રમુખ લલીતભાઈ કગથરા તેમજ ધારાસભ્‍ય બ્રિજેશભાઈ મેરજા અને ધારાસભ્‍ય મહમદજાવેદ પીરજાદા પ્રેરિત ખેડૂત મહા સંમેલન યોજાશે જે સંમેલન બાદ રેલી સ્‍વરૂપે કલેકટર કચેરી પહોંચીને કલેકટરને આવેદન પત્ર પાઠવાશે.

(11:05 am IST)