Gujarati News

Gujarati News

News of Monday, 12th November 2018

કોડીનારની વિમાંશી ઠકરારની હત્યામાં સંડોવાયેલા તમામની ધરપકડ કરવા વિજયભાઇ રૂપાણી સમક્ષ રજૂઆત

વેરાવળ તા. ૧૨ : કોડીનાર વેપારી અગ્રણીની તરૂણવયની યુવતીની ઘાતકી હત્યામાં પુરતો ન્યાય મળે તે માટે કોડીનાર લોહાણા મહાજન તેમજ વેરાવળજલ્યાણ ગુ્રપ અને પરીવારજનો દ્રારા પ્રાસંલી ખાતે મુખ્યમંત્રીને આક્રમક રજુઆત કરેલ હતી

કોડીનાર લોહાણા જ્ઞાતિના વેપારીની તરૂણ પુત્રી વિમાંશી તા.પ ના ધનતેરસના દિવસે મોબાઈલમાં ફોન આવતા ઘરે થી બુક આપવાનું કહીને નિકળી ગયેલ હતી તેનો મૃતદેહ તા.૬ ના રોજ તેમનો મૃતદેહ ઘરથી બે કીલો મીટર દુર મળેલ હતો અને તેની ૩૭ જેટલા ઘા મારી નિર્મમ હત્યા કરી નાખવામાં આવેલ હતા તેના ત્રણ આરોપીની પોલીસે ધરપકડ કરેલ છે પણ આ હત્યામાં સંડોવાયેલ કોઈપણ આરોપીઓ છુટી ન જાય પ્રત્યક્ષ કે પરોક્ષ સાથે સંડોવાયેલ હોય તેમની પણ ધરપકડ કરવામાં આવે જેથી પ્રાસંલી ગામે મુખ્યમંત્રીને જિલ્લા ભાજપ પ્રમુખ ઝવેરીભાઈ ઠકરારની સાથે રહી કોડીનાર લોહાણા સમાજના અગ્રણી હરીકાકા વિઠલાણી, હસમુખભાઈ રૂપારેલ, બીપીનભાઈ તન્ના, ભાવેશ રૂપારેલ તેમજ પરીવારના મનોજ ઠકરાર વેરાવળ જલ્યાણ ગુ્રપ ના દીપક કકકડ,  બીપીની તન્ના, ચિરાગ કકકડ, જયેશ શિગાળા એ રૂબરૂ મળી આ હત્યામાં કહેવાથી રાવણ ગેંગના અનેક સભ્યો હોય તેમજ મદદ કરનારાઓ પણ હોય જે આરોપીઓએ હત્યા કરી છે તેમની કડક  પુછપરછ કરી સંડોવાયેલ ની ધરપકડ થવી જોઈએ પીડીત પરીવારજનોએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને લેખીતમાં આપેલ છે કે કોડીનાર વિસ્તારની દીકરીઓ સલામત રહે એટલે આરોપી કશ્યપ, ધરતી તેને મદદગાર થનાર તમામ તથા માર્ગદર્શન આપનારને આકરી સજા કરવામાં આવે(ર)વિમાંશી રાત્રે ૮.૪પ  થી ૯ કલાકની વચ્ચે ઘરેથી નિકળી આરોપીએ કબુલ કરેલ તે મુજબ રાત્રે પહેલા હત્યા મતલબ પ્રિપ્લાન એટલે કે આમા માર્ગદર્શન આપનાર હોય શકે (૩) તમામ મોબાઈલ ફોનની વિગતે લેવામાં આવે તેમા આરોપી મદદગારના નામ ખુલ્લે (૪) આરોપીના કહેવા મુજબ વિમાંશી પાસે તેમનો મોબાઈલ હતો તો તેનુ શું થયુ ? (પ) હત્યા બાદ આરોપીએ કોલ કરેલ તે પૈકી એક કોલનું રેકોડીગ અમારી પાસે છે જેમાં પાર્થ પુરોહીતે પોતાના ઘરે બોલાવેલ તે વખતે સાગર તેમજ અન્ય મીત્રો હાજર હોય શકે તે તમામ આકરી પુછપરછી કરવી તે ઘણું ખોલી શકે તે વખતે આ યુવાનોએ માહીતગાર કરી જાણ કરી હોત તો નિદોર્ષનો જીવ બચી જાત જેથી આ ગુનામાં આ તમામ પણ ગુનેગાર છે (૬) મૃતદેહ જે જગ્યા એ હતો ત્યાં ગોઠવીને મુકેલ હોય તેવું અનુમાન છે ખુન કંઈ અલગ જગ્યાએ થયેલ હોય તેવી શંકા છે છરી સોળાજ માઈન્સ તરફ જતા રસ્તા પાસેથી મળેલ છે (૭) આ ખુન કેસમાં અતિ વગદાર યુવાનો પણ સંડોવાયેલ હોય તેમની પણ પુછપરછ કરવામાં આવે તેવી પણ માંગણી કરેલ હતી.

જિલ્લા ભાજપ પ્રમુખ કોડીનાર લોહાણા મહાજન વેરાવળ જલ્યાણ ગુ્રપ તેમજ પીડીત પરીવારજનોએ પણ કોડીનાર નહી પણ સમગ્ર ગુજરાતને હચમાચવતી આ કરપીણ હત્યા કરાયેલ છે. જેથી સમગ્ર સમાજની દીકરીને ન્યાય મળે ગમે તેવા ચમરબંધી ગુનેગારો હોય તેને આ બનાવમાં કોઈપણ રીતે છોડવામાં ન આવે તેવી રજુઆત કરવામાં આવેલ હતી.

(1:22 pm IST)