Gujarati News

Gujarati News

News of Tuesday, 12th October 2021

મોરબીમાં પરશુરામ યુવા ગ્રુપ દ્વારા શરદોત્સવનું આયોજન કરાયું

તા. ૨૦ ને બુધવારના રોજ રાત્રીના ૯ કલાકે શ્રી પરશુરામ ધામ, નવલખી રોડ મોરબી ખાતે શરદોત્સવ

મોરબી :શ્રી પરશુરામ યુવા ગ્રુપ દ્વારા તા. ૨૦ ને બુધવારના રોજ રાત્રીના ૯ કલાકે શ્રી પરશુરામ ધામ, નવલખી રોડ મોરબી ખાતે શરદોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે
જે શરદોત્સવના કાર્યક્રમમાં બ્રહ્મસમાજ જ્ઞાતિજનોએ પધારવા નીરજભાઈ ભટ્ટ, મહામંત્રી ધ્યાનેશભાઈ રાવલ અને મહામંત્રી ધર્મેન્દ્રભાઈ જોષીએ નિમંત્રણ પાઠવ્યું છે શરદોત્સવને સફળ બનાવવા મોરબી જીલ્લા સમસ્ત બ્રહ્મસમાજ, મોરબી સમસ્ત બ્રહ્મસમાજ, સમસ્ત બ્રહ્મસમાજ મહિલા પરિવાર, બ્રહ્મવિકાસ પરિષદ, પરશુરામ ધામ મોરબી, સમસ્ત બ્રહ્મસમાજ યુવક મંડળ ત્રસ્ત અને ગાયત્રી પરિવાર સહિતની સંસ્થાના અગ્રણીઓ જહેમત ઉઠાવી રહ્યા છે.

(12:15 am IST)