Gujarati News

Gujarati News

News of Tuesday, 12th October 2021

શનિવારથી ગિર અભ્યારણ્યમાં વેકેશન પૂર્ણઃ સિંહના દર્શન થઇ શકશે

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ,તા.૧૨ : તા. ૧૬ને શનિવારથી ગીર અભ્યારણ્યનું વેકેશન પૂર્ણ થશે. અને પ્રવાસીઓ સિંહ દર્શન કરી શકશે. દર વર્ષે ૪ મહિના સિંહ દર્શનમાં વેકેશન હોય છે. તે પ્રમાણે ૧૬ જૂનથી પ્રવાસીઓ માટે અભ્યારણ્ય હતું બંધ ચાર મહિના ચોમાસુ અને મેટીંગ પિરિયડ હોવાનું બંધ હતું. જેમાં કોરોના ગાઇડલાઇન મુજબ પ્રવાસીઓને પ્રવેશ શનીવારથી અપાશે.

(3:10 pm IST)