Gujarati News

Gujarati News

News of Tuesday, 12th October 2021

જામજોધપુર શહેરમાં સંકલ્પ સિધ્ધ હનુમાનજી મંદિરનો જીર્ણોદ્વાર અને નવનિર્મિત સત્સંગ હોલનું લોકાર્પણ

જામજોધપુરઃ :  સંકલ્પ સિદ્ઘ હનુમાનજી મંદિર ખાતે મંદિરના જીર્ણોદ્ઘાર અને નવનિર્મિત સત્સંગ હોલનું લોકાપર્ણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે યજ્ઞ,ભોજન પ્રસાદ, બટુક ભોજન તથા અશોકભાઈ ભાયાણી સ્વરે રામધૂનનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું . આ પ્રસંગે રાજયના પૂર્વ મંત્રી ચીમનભાઈ સાપરિયા, જિલ્લા ભાજપ મંત્રી કૌશિકભાઈ રાબડીયા,જિલ્લા પંચાયતના સદસ્ય હર્ષદીપભાઈ સુતરીયા,નગરપાલિકાના ઉપપ્રમુખ નરેન્દ્રભાઈ કડીવાર , યુવા મોરચાના ઉપપ્રમુખ રવિભાઈ દેલવાડિયા તથા વેપારી અગ્રણી ચિરાગભાઈ દેલવાડિયા સહિત બહોળી સંખ્યામાં ભાવિકો ભકતો ઉપસ્થિત રહ્યા હતા. (તસ્વીર-અહેવાલ : દર્શન મકવાણા-જામજોધપુર)

(10:35 am IST)