Gujarati News

Gujarati News

News of Friday, 12th October 2018

વીરનગરમાં મનુભાઇ પટેલને રમેશ પટેલ અને તેના પુત્રએ બરણીથી માર માર્યો

રાજકોટ તા. ૧૨: જસદણના વીરનગરમાં આટકોટ રોડ પર રહેતાં મનુભાઇ ગોરધનભાઇ શેખલીયા (ઉ.૫૨) નામના પટેલ પ્રોૈઢને સાંજે સાતેક વાગ્યે ઘર નજીક કિશાન ડેરી પાસે હતાં ત્યારે ગામના જ રમેશભાઇ નાગજીભાઇ વેકરીયા અને તેના પુત્રએ ઝઘડો કરી દૂધ ભરવાની સ્ટીલની બરણીથી હુમલો કરી માથે ઇજા કરતાં સારવાર માટે રાજકોટ સિવિલમાં ખસેડાયા હતાં.હોસ્પિટલ ચોકીના દેવરાજભાઇ નાટડા અને ધર્મેશભાઇએ જસદણ પોલીસને જાણ કરી હતી. મનુભાઇ અને રમેશભાઇ વચ્ચે અગાઉ ખેતરમાં ભાગીયુ રાખવા બાબતે બોલાચાલી થઇ હતી. તેના મનદુઃખને લીધે હુમલો કરાયાનું જણાવાયું હતું.

(12:03 pm IST)