Gujarati News

Gujarati News

News of Saturday, 12th September 2020

જિલ્લા આયુર્વેદ અધિકારીના માર્ગદર્શન હેઠળ દ્વારકાધીશ જગતમંદિર પરિસરમાં આયુર્વેદિક ઉકાળાનું વિતરણ

દ્વારકાઃ દ્વારકાધીશ જગતમંદિર પરિસરમાં આજથી આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, નિયામકશ્રી, આયુષકની કચેરી, ગુજરાત રાજ્ય તેમજ જિલ્લા આયુર્વેદ અધિકારી, દેવભૂમિ દ્વારકા તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતની આયુર્વેદ શાખાના સંયુકત ઉપક્રમે સ્વાસ્થ્યવર્ધક આયુર્વેદિક ઉકાળાનું વિતરણ શરૂ કરવામાં આવ્યું હતું. જેનો દ્વારકાધીશ જગતમંદિરે આવતા ભાવિકોએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો. આ કાર્યમાં પ્રાંત અધિકારી તેમજ જગતમંદિર વહીવટદાર તેમજ દ્વારકાધીશ મંદિર વ્યવસ્થાપન સમિતિની ટીમે ઉમદા સહયોગ આપ્યો હતો. (તસ્વીરઃ વિનુભાઇ સામાણી -દ્વારકા)

(11:23 am IST)