Gujarati News

Gujarati News

News of Thursday, 12th September 2019

જામનગરની શ્રીરામકથામાં ભોજન ખંડની મુલાકાતે પૂ. મોરારીબાપુઃ વ્યવસ્થા નિહાળી રાજીપો વ્યકત કર્યો

 જામનગરઃ દ્વારકા હાઇવે પર ચાલી રહેલી માનસ ક્ષમા રામકથાના પાંચમાં દિવસે માનવ મહેરામણ ઉમટી પડયો હતો. પાંચમાં દિવસે રામકથાના વિરામ બાદ મોરારીબાપુએ કથા સ્થળે ચાલી રહેલા ભોજન-પ્રસાદના પંડાલે રામકથાના આયોજક પરિવારના જયંતિભાઇ ચાંદ્રા અને અગ્રણી કાર્યકરો સાથે મુલાકાત લીધી હતી. મોરારીબાપુએ મહેમાનો અને કથા શ્રવણ કરતા શ્રોતાઓને પ્રસાદ આપવામાં આવી રહેલ પંડાલોમાં વ્યવસ્થા નિહાળી રાજીપો વ્યકત કર્યો હતો. (અહેવાલ-મુકુંદ બદિયાણી-તસ્વીરો-કિંજલ કરસરીયા-જામનગર)

(1:15 pm IST)