Gujarati News

Gujarati News

News of Thursday, 12th September 2019

જામનગરના ફલ્લા-ખીલોસમાં ગણેશજીની વંદના

ફલ્લા : જામનગર જીલ્લાનાં ફલ્લા નજીક આવેલા ખીલોસ ગામમાં આશાપુરા મંદિરે ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી. દરરોજ રાત્રે રાસ-ગરબાના કાર્યક્રમો યોજાતા હતાં. પુજન, આરતી, ધુન, પ્રસાદ સહિતનાં કાર્યક્રમો યોજવામાં આવ્યા હતાં.  પાંચ ફળી સતવારા નકુમ પરિવાર દ્વારા ગણપતીજીની સ્થાપનાં કરવામાં આવી હતી. દરરોજ સવાર - સાંજ પુજા-આરતી, પ્રસાદ, ધુન સહિતના કાર્યક્રમો રાખવામાં આવ્યા હતાં. સમગ્ર વાતાવરણ ગણેશોત્સવ બની ગયું હતું. (તસ્વીર - અહેવાલ : મુકેશ વરીયા -ફલ્લા)

(1:14 pm IST)