Gujarati News

Gujarati News

News of Thursday, 12th September 2019

હળવદના રાતકડી નજીક નર્મદા કેનાલમાં દૂષિત પાણી છોડાતા ખેડૂતોમાં રોષ

કેનાલના કાંઠે આવેલ કારખાનેદાર દુષીત પાણી છોડતા હોવાનો ખેડૂતોનો આક્ષેપ

હળવદ,તા.૧૨: શહેરમાં આવેલ રાતકડી હનુમાનજી નજીક થી પસાર થતી નર્મદા કેનાલમાં કેનાલ કાંઠે આવેલ એક કારખાનેદાર દ્વારા દૂષિત લાલ રંગનું પાણી કેનાલમાં છોડાતુ હોવાનાઙ્ગ સ્થાનિક ખેડૂતો દ્વારાઙ્ગ આક્ષેપ કરવામાંઙ્ગ આવી રહ્યું છે જેથી જવાબદાર તંત્ર દ્વારા વહેલી તકે યોગ્ય તપાસ કરી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે

શહેરના રાતકડી હનુમાનજી પાસે થી પસાર થતી નર્મદા કેનાલમાં બાજુમાં આવેલ એક કારખાનેદાર દ્વારા પોતાનું દુષિત થઈ ગયેલું લાલ રંગનુ પાણી નર્મદા કેનાલમાં છોડાતુ હોવાનું આજુબાજુના ખેડૂતો જાણવી રહ્યા છે તો સાથે જ અહીંથી થોડે દૂર પાલિકા દ્વારા શહેરમાં નર્મદાનું પાણી વિતરણ કરવા માટે મોટર્સ મૂકી હોય જો આ દુષિત પાણી તેમાં ભળે તો લોકો ના સ્વાસ્થ્ય ને નુકશાન જાવા ની ભીતિ સેવાઈ રહી છે જેથી આ દુષિત પાણી કેનાલમાં છોડાતું બંધ કરવું જરૂરી બન્યું છે

તો સાથે સાથે આજુબાજુના ખેડૂતો એમ પણ જણાવી રહ્યા છે કે કારખાનેદાર દ્વારા નર્મદા કેનાલમાં પાઇપ મુકી કારખાનાનું દૂષિત પાણી દરરોજ છોડવામાં આવતું હોય છે નર્મદા કેનાલ ચાલુ હોય ત્યારે કેનાલમાં પાણી છોડાતું હોવાનું અનેક વાર સામે આવ્યુ છે પરંતુ કેનાલમાં પાણીનો પ્રવાહ વધુ હોવાને કારણે દેખાતું હોતું નથી જેથી પ્રદૂષણ બોર્ડ દ્વારા વહેલી તકે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી અમારી માંગ છે

(12:01 pm IST)