Gujarati News

Gujarati News

News of Thursday, 12th September 2019

ઢુવાથી માટેલનો રોડ અત્યંત બિસ્માર

 વાંકાનેર : ઢુવાથી માટેલનો ૮ કીમીનો રોડ અત્યંત બિસ્માર થયેલ છે. ઠેર ઠેર મોટા ખાડા થઇ ગયા છે. ઢુવાથી માટેલ સુધીમાં ૧૨૦ જેટલી સિરામીક ફેકટરીઓ હોય રાહદારીઓની કારીગરોને ખૂબ જ અવરજવર રહે છે. તેમજ સૌરાષ્ટ્ર ગુજરાતનું પવિત્ર યાત્રાધામ તીર્થસ્થળ આઇશ્રી ખોડીયાર માતાજીનુ મંદિર પણ માટેલધરા ખાતે આવેલ છે. જયાં પણ અસંખ્ય યાત્રાળુઓ માતાજીના દર્શનાર્થે પધારે છે. ઢુવાથી માટેલના ૮ કીમીના રોડ પસાર થતા ઘણો સમય લાગે છે. યાત્રાળુઓ પણ ખૂબ જ પરેશાન થાય છે. ઢુવાથી માટેનો અત્યંત બિસ્માર રોડનું સમારકામ કરવા આવે તેવી સમગ્ર પ્રજાજનોની લોકમાંગણી ઉઠી છે. ઢુવાથી માટેલ તરફ જતા મોટા મોટા ખાડાની તસ્વીર નજરે પડે છે.(તસ્વીર : હિતેશ રાચ્છ, વાંકાનેર)

(12:00 pm IST)