Gujarati News

Gujarati News

News of Thursday, 12th September 2019

કચ્છમાં બે મહિનામાં પશ્ચિમ કચ્છ પોલીસમાં આપઘાતનો ત્રીજો

બનાવઃ નારાયણ સરોવરના પોલીસ કોન્સટેબલે ગળે ફાંસો ખાધો

ભુજ તા.૧૨:  છેલ્લા બે મહિનામાં વધુ એક પોલીસ કર્મીએ આપઘાત કરતાં પશ્ચિમ કચ્છ પોલીસમાં ગમગીની છવાઈ છે.

 હજી હમણાં જ ભુજમાં ફરજ બજાવતા એલઆરડી પોલીસ જવાન અશ્વિનસિંહ ભીખાજી રાઠોડે આપઘાત કર્યો હતો, તે પહેલાં ભુજમા એએસઆઈ ઉમર નોડેએ આપઘાત કર્યો હતો

હવે ત્રીજા બનાવમાં નારાયણસરોવરમાં ફરજ બજાવતા પોલીસ જવાને આપઘાત કરીને પોતાનું આયખું ટુંકાવ્યું હતું.  મનોજ નારાયણ પાલ નામના ૩૩ વર્ષીય પોલીસ કોન્સ્ટેબલે માધાપર (ભુજ)માં પોતાને ઘેર ગળે ફાંસો ખાઈને જીવનનો અંત આણ્યો હતો.

મૃતક કોન્સ્ટેબલ નારાયણસરોવર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો હતો. તેના આપઘાતનું કારણ જાણવા મળ્યું નથી. ભુજ બી ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.(૧૭.૩)

(11:36 am IST)