Gujarati News

Gujarati News

News of Wednesday, 11th September 2019

જૂનાગઢ સ્વામિનારાયણ મંદિરે જલજીલણી ઉત્સવ

જૂનાગઢ : જવાહર રોડ સ્થિત શ્રી સ્વામિનારાયણ સુવર્ણ મુખ્યમંદિર દ્વારા ભવનાથ સ્થિત નારાયણ ઘરો ખાતે જલજીલણી એકાદશીની ઉજવણી કરવામાં આવી હતી અને મંદિરેથી જળયાત્રા અને શોભાયાત્રા નિકળી હતી. તેમાં સંતો હરિભકતો જોડાયા હતા. અને નારાયણ ઘરરો ખાતે ભગવાનની પુજા આરતી કરવામાં આવી હતી.

ભગવાન સ્વામી નારાયણે નારાયણ ઘરો ખાતે જલજીલણી એકાદશીએ સ્નાન કર્યુ હતુ ત્યારથી આ જલજીલણી એકાદશીની ઉજવણી કરવામાં આવે છે.

આ તકે ભગવાનને નાવમાં બેસાડી જલ જીલણી  યાત્રા કરવાતા કોઠારી શ્રિ પ્રેમસ્વરૂપદાસજી ભકિત દર્શન સ્વામી જે કે સ્વામી જે પી સ્વામી પરસોત્તમસ્વામી તેમજ નંદલાલભાઇ  બામટા અન્યહરી ભકતો સંતો તસ્વીરમાં નજરે પડે છે. (અહેવાલ વિનુજોષી તસ્વીર મુકેશ વાઘેલાઃજુનાગઢ)

 

(1:09 pm IST)