Gujarati News

Gujarati News

News of Wednesday, 11th September 2019

પ્રથમ નોરતાથી શિક્ષણ રથનું સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં પરિભ્રમણ

આટકોટ તા.૧૧: અમરાપૂર ખાતે યોજાયેલા સમસ્ત તળપદા કોળી પટેલના તેજસ્વી તારલાઓના સન્માન સમારોહમાં પ્રથમ નોરતાથી શિક્ષણ રથ સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છમાં ફરશે.

આત્માનંદ સરસ્વતિની ટકોર બાદ ઉપસ્થિત આગેવાનોએ ત્વરિત નિર્ણય લઇ શિક્ષણ રથનું આયોજન કરી નાખ્યુ હતુ.

કોળી સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ કુંવરજીભાઇ બાવળીયાની આગેવાની હેઠળ નિકળનાર આ રથ યાત્રા સૌરાષ્ટ્ર-કચ્છમાં દરેક તાલુકામાં જશે જ્યાં કોળી સમાજમાં વાલીઓ અને બાળકોમાં શિક્ષણ પ્રત્યે જાગૃતતા વધે તે માટે જુંબેશ હાથ ધરાશે. આ માટેની તૈયારીઓ વિંછીયા તાલુકાના આગેવાનો દ્વારા હાથ ધરાઇ ગઇ છે. આ યાત્રામાં દેશ-ભરમાંથી કોળી સમાજના આગેવાનો ઉપસ્થિત રહી માર્ગદર્શન આપશે.

(11:24 am IST)