Gujarati News

Gujarati News

News of Wednesday, 12th September 2018

ગીર સોમનાથના ધામલેજ બંદર નજીક મહાકાય વ્હેલ શાર્કનો મૃતદેહ તણાઇ આવ્યો

આઠ ટન વજન અને 40 ફૂટ લાંબી વ્હેલનો કોહવાયેલ મૃતદેહ પરથી ઉંમરલાયક અને કુદરતી મોતને ભેટી હોવાનું તારણ

 

ગીર સોમનાથના ધામલેજ બંદર નજીક મહાકાય વ્હેલ શાર્કનો મૃતદેહ તણાઇ આવ્યાનો કિસ્સો નોંધાયો છે. વન વિભાગે પીએમ કરી તપાસ નો ધમધમાટ શરૂ કર્યો છે. વન વિભાગને પેટ્રોલીંગ દરમ્યાન જોવા મળતા તેનો કબજો લઇને વ્હેલનું પીએમ કરીને તપાસ આરંભી છે

  . કોહવાયેલ મૃતદેહ પરથી વ્હેલ ઉંમરલાયક અને કુદરતી રીતે મોતને ભેટી હોય તેવું માનવામાં આવી રહ્યું છે. જોકે કયારેક મોટી સ્ટીમરોના પંખાની અડફેટે આવીને પણ મોતને ભેટતી હોય છે. 8 ટન વજન ધરાવતી અને 40 ફૂટ લાંબી વ્હેલને દરિયા કાંઠેજ જેસીબીની મદદ વડે તંત્રએ દફનાવી દીધી હતી.

(12:43 am IST)