Gujarati News

Gujarati News

News of Wednesday, 12th September 2018

રેલ્વેમાં સીઝન પાસનો પ્રશ્ન ૮ દિ'માં ઉકેલવાની સાંસદ ચુડાસમાની ખાત્રી

માળિયાહાટીનામાં અપડાઉન કરતા મુસાફરોના આંદોલનનો સુખદ અંત

માળિયાહાટીના તા. ૧૨: રેલ્વે સતાવાળાઓએ એકાદમાસથી ટ્રેનમાં અપડાઉન કરતા મુસાફરોના સીઝન પાસ એકાએક બંધ કરી દેતા મુસાફરોમાં ભારે દેકારો બોલી જવા પામેલ હતો.

અનેક રજુઆત બાદ રેલ્વે દ્વારા યોગ્ય નહિ કરાતા અપડાઉન કરતા મુસાફરોએ માળિયા હાટીના રેલ્વે સ્ટેશનને ઉપવાસ આંદોલન કરવાની જાહેરાત કરી હતી તા. ૧૦ના રોજ રેલ્વે સ્ટેશન બહાર છાવણી નાખીને ઉપવાસ આંદોલન ચાલુ કરતા બપોરબાદ સાંસદ રાજેશભાઇ ચુડાસમાએ ખાત્રી આપી આઠ દિવસમાં  ફરીથી સીઝન પાસ કરાી આપવા રેલ્વે પ્રશ્નના અધિકારીઓ સાથે વાત કરેલ છે.

સાંસદની મધ્યસ્થી થતા તાલુકા પંચાયતના પ્રકુખ દિલીપભાઇ સીસોદીયા, હમીરસિંહ સીસોદીયા, ઠકરશીભાઇ જાવીયા, મહેન્દ્રભાઇ ગાંધી, રાજુભાઇ દેસાઇ, પ્રવિણ કારીયા સહિતના આગેવાનોએ ઉપવાસીઓને પારણા કરાવ્યા હતા. અને આંદોલનનો સુખદ અંત આવ્યો હતો.(૧૧.પ)

(12:32 pm IST)