Gujarati News

Gujarati News

News of Wednesday, 12th September 2018

મોરબીના સુરાજબાગ નજીક માધાપરમાં બેફામ ગંદકીથી લોકો ત્રાહિમામ :રોગચાળાની ભીતિ :તંત્રને કરી રજૂઆત

 

મોરબીના સુરજ બાગ નજીક આવેલ માધાપર વિસ્તારમાં બેફામ ગંદકી ફેલાતી હોય જેથી લત્તાવાસીઓને સતત રોગચાળાનો ભય જોવા મળે છે ત્યારે મામલે લત્તાવાસીઓએ પાલિકા તંત્રને રજૂઆત કરી છે

   મોરબીના માધાપર અંબિકા રોડના રહેવાસીઓએ  પાલિકા કચેરીએ પહોંચીને તંત્રને રજૂઆત કરી હતી જેમાં જણાવ્યું છે કે સુરજ્બાગ તરફ જતા રોડ નજીક શાક માર્કેટને પગલે બેફામ ગંદકી ફેલાઈ છે અને ગંદકીને કારણે સીનીયર સીટીઝન માટેનો સુરજ બાગ બિનઉપયોગી બની રહે છે તો અતિશય ગંદકીને કારણે રોગચારો ભરડો લે તેવો ભય લોકોને સતાવી રહ્યો છે

   વરસાદ પડતા કચરાના ઉકરડામાંથી અતિશય દુર્ગંધ ફેલાય છે અને લોકો બીમારીનો ભોગ બને તે પૂર્વે તંત્ર જાગી તુરંત કાર્યવાહી કરે તેવી માંગ કરી છે.

(12:03 am IST)