Gujarati News

Gujarati News

News of Wednesday, 12th August 2020

ભાવનગર માં ૩૮ કોરોના પોઝિટિવ કેસો નોંધાયા : ૧ દર્દીનું અવસાન

જિલ્લામાં નોંધાયેલા ૧,૯૭૪ કેસો પૈકી ૪૫૩ દર્દીઓ હાલ સારવાર હેઠળ

ભાવનગર: ભાવનગર જિલ્લામા આજરોજ ૩૮ નવા કોરોના પોઝીટીવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા ૧,૯૭૪ થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમા ૧૫ પુરૂષ અને ૧૨ સ્ત્રી મળી કુલ ૨૭ કેસો નોંધાયા છે. જ્યારે તાલુકાઓમા ભાવનગર તાલુકાના કોળિયાક ગામ ખાતે ૧, મહુવા ખાતે ૪, સિહોર ખાતે ૨, સિહોર તાલુકાના લીંબડાધાર ગામ ખાતે ૧, સિહોર તાલુકાના ઘાંઘળી ગામ ખાતે ૧, સિહોર તાલુકાના ભૂતિયા ગામ ખાતે ૧ તેમજ સિહોર તાલુકાના અમરગઢ ગામ ખાતે ૧ કેસ મળી કુલ ૧૧ લોકોના કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા તેમને વધુ સારવાર માટે દાખલ કરવામા આવેલ છે.
જ્યારે આજરોજ ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારના ૨૪ અને તાલુકાઓના ૯ એમ કુલ ૩૩ કોરોના પોઝિટિવ દર્દી કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ તમામ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ તમામ દર્દીઓને આજરોજ હોમ આઈસોલેશનમા રહેવા માટે હોસ્પિટમાથી રજા આપવામા આવી હતી. આ તમામ દર્દીઓએ હોસ્પિટલામાથી ડિસ્ચાર્જ થયા બાદ ૭ દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમા રહેવાનુ રહેશે તેમજ આજરોજ ભાવનગર શહેર ખાતે રહેતા એક કોરોના પોઝીટીવ દર્દીનું સારવાર દરમિયાન અવસાન થયેલ છે.આમ જિલ્લામા નોંધાયેલા ૧,૯૭૪ કેસ પૈકી હાલ ૪૫૩ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમા કુલ ૧,૪૮૦ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામા આવ્યા છે તેમજ જિલ્લામા ૩૪ દર્દીઓનુ અવસાન થયેલ છે

(9:00 pm IST)