Gujarati News

Gujarati News

News of Wednesday, 12th August 2020

ટંકારાના છતર પાસે કાર અને સ્‍કુટર વચ્‍ચે અકસ્‍માતમાં સર્જાતા રાજકોટમાં ૨ વ્‍યકિતના મોત: સ્‍કૂટર સવાર અશોકભાઇ ચૌહાણ અને અશોકભાઇ વિજવાડિયાના મોતથી અરેરાટી

મોરબી રાજકોટ હાઇવે ઉપર આવેલ છત્તર ગામ પાસે નવી બની રહેલી જીઆઇડીસી પાસે એક્ટિવા અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં રાજકોટના બે વ્યકિતના ઘટના સ્થળે જ મોત નિપજયા હતા જેથી તેઓના મૃતદેહને ટંકારા હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા અને આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે ટંકારા તાલુકાના છત્તર ગામ પાસેથી ગઈકાલે મોડી રાતના સમયે અશોકભાઈ અરવિંદભાઈ ચૌહાણ (ઉંમર ૪૫) રહે, વામ્બે આવાસ યોજના રાજકોટ પોતાનું એકટીવા નંબર જીજે ૩ એલ.એચ ૯૭૯૧ લઈને જઈ રહ્યા હતા ત્યારે તેઓની સાથે રાજકોટમાં રહેતા અશોકભાઇ હમીરભાઇ વિજવાડિયા (ઉમર ૬૫) બેઠેલા હતા આ સમયે તેઓના એક્ટિવાને મારૂતિ સુઝુકી કાર નંબર જીજે ૩ બીજી ૯૭૫૩ ના ચાલકે તેઓના સ્કુટરને હડફેટે લીધુ હતુ જેથી કરીને સ્કુટર સવાર અશોકભાઈ ચૌહાણ અને અશોકભાઈ વિજવાડિયાને ગંભીર ઇજાઓ થવાના કારણે તેઓનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું જેથી કરીને આ બંને વ્યક્તિઓના મૃતદેહને ટંકારા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા ટંકારા તાલુકા પોલીસે બનાવની નોંધ કરીને આગળની તપાસ હાલમાં ટંકારાના મહિલા પીએસઆઇ એલ.બી. બગડા તેમજ તેઓના રાઇટર જેસાભાઇ માલદેભાઇ ડાંગર ચલાવી રહ્યા છે

 

(12:36 pm IST)