Gujarati News

Gujarati News

News of Wednesday, 12th August 2020

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમા જન્માષ્ટમી પર્વ ઉજવવા ઉત્સાહ : રાત્રે બાર વાગ્યે ઘરે - ઘરે થશે નંદ ઘરે આનંદ ભયો જય કનૈયાલાલ કી.. : દ્વારકાધીશ ભગવાન ને સવારે ખુલ્લા પડદે સ્નાન

રાજકોટ :::રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમા જન્માષ્ટમી પર્વ ઉજવવા ઉત્સાહ  છવાઈ ગયો છે રાત્રે બાર વાગ્યે ઘરે - ઘરે થશે નંદ ઘરે આનંદ ભયો જય કનૈયાલાલ કી.. ના નાદ ગુંજી ઉઠશે. કોરોના મહામારી ના કારણે લોકો ઘરમાં જ જન્માષ્ટમી પર્વ ઉજવશે.

આજે સવારેદ્વારકાધીશ ભગવાન ને  ખુલ્લા પડદે  સ્નાન કરાવવામાં આવ્યું હતું જેમાં દ્વારકાધીશ મંદિરના પૂજારી પરિવારે લાભ લીધો હતો.

           જન્માષ્ટમી પર્વમાં આ વખતે કોરોના મહામારી નડી ગઇ છે જેના કારણે ધાર્મિક સ્થળો અને પ્રવાસન સ્થળો પણ બંધ રાખવામાં આવ્યા છે. રજાના માહોલમાં લોકોની ભીડ એકત્ર ન થાય તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

(11:43 am IST)