Gujarati News

Gujarati News

News of Wednesday, 12th August 2020

કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાનો માનવતા મહેકાવતો કિસ્સો

અકસ્માતમાં પોતાની કાર અટકાવી હાઇવે,મેડિકલ અને પોલીસને બોલાવી : હોસ્પિટલમાં ઇજાગ્રસ્તો માટે સારવારની વ્યવસ્થા કરાવી

ધોરાજી:જેતપુર ખાતે તત્કાલ ચોકડી પધારો રિસોર્ટ સામે થયેલા અકસ્માતમાં કેબિનેટ મંત્રી જયેશભાઈ રાદડિયાએ પોતાની કાર અટકાવી તાત્કાલિક હાઇવે, મેડિકલ અને પોલીસ ઓથોરિટીને સ્થળ પર બોલાવી ઇમજન્સીમાં હોસ્પિટલ સારવાર માટે વ્યવસ્થા કરાવી આપી હતી. હોસ્પિટલમાં પીડિત મુસાફરોને કોઈ મુશ્કેલી ન પડે એ માટે મેડિકલ વિભાગને સ્પષ્ટ સુચના આપી હતી. ત્યારે કેબીનેટ મંત્રી જયેશ રાદડીયાના માનવતાવાદી અભીગમની ચો તરફ સરાહના થઈ રહી છે.

(9:30 am IST)