Gujarati News

Gujarati News

News of Monday, 12th August 2019

જામનગરનાં લતીપુરમાં ફરી જળપ્રલયથી ઘરોમાં પણ પાણી ઘુસી ગયાઃ પારાવાર નુકશાન

લતીપુર તા. ૧ર :.. છેલ્લા ૧૦ દિવસમાં બીજી વખત તા. ૧૦ ના રોજ લતીપુર વિસ્તાર ધોધમાર મેઘ તાંડવનો ભોગ બન્યો છે. આ વખત તો પુરની સ્થિતિ વધુ ગંભીર બની ગઇ હતી.

કારણ કે અગાઉના વરસાદથી તમામ ચેક ડેમો-તળાવો ભરાયેલા હોવાથી પુરના પાણીએ વધુ તારાજી સર્જી હતી, લતીપુર દૂધ મંડળી લી.ના મકાનમાં પુરના પાણી ઘુસી જતાં મોટા ભાગનું રેકર્ડ પલળીને કાદવમાં ફેરવાઇ ગયુ હતુ અને બી. એમ. સી.ના ઇલેકટ્રીક ઇન્દ્રમેન્ટ બળી ગયા હતા.

ધ્રોલ-ટંકારા રોડ પર આવેલ આજી નદીના પુલ ઉપરથી પાણી વહી જતાં નદી જાણે દરીયો બની ગઇ હતી. ખેડૂતોના ખેતરો ના અસંખ્ય બંધ પાળા તૂટી જતાં ખેતરોનું મોટા પ્રમાણમાં ધોવાણ થઇ જવા પામ્યું છે. (પ-૧૯)

(1:38 pm IST)