Gujarati News

Gujarati News

News of Monday, 12th August 2019

જુનાગઢમાં મકાન બાબતે માથાકુટ કરી હર્ષદ પર અશોકનો હુમલો

વણકર યુવાનને સારવાર માટે રાજકોટ ખસેડાયો

રાજકોટ તા. ૧૨: જુનાગઢમાં બિલખા રોડ પર આંબેડકરનગરમાં રહેતાં અને બાંધકામ કોન્ટ્રાકટ રાખી કામ કરતાં હર્ષદભાઇ મગનભાઇ મુછળીયા (ઉ.૩૪) નામના વણકર યુવાનને પડોશમાં જ રહેતાં અશોકભાઇ વણકરે લાકડીથી માર મારતાં જુનાગઢ સારવાર લઇ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ થયો છે.

હર્ષદભાઇના કહેવા મુજબ તેણે પોતાના ઘર નજીક જ મકાન બનાવ્યા હોઇ તે અશોકભાઇને સારું લાગતું ન હોઇ માથાકુટ કરી હુમલો કર્યો હતો. હોસ્પિટલ ચોકીના મહેન્દ્રભાઇ પરમાર અને રાજદિપસિંહ ચોૈહાણે જુનાગઢ પોલીસને જાણ કરી હતી.

(12:14 pm IST)