Gujarati News

Gujarati News

News of Monday, 12th August 2019

હાજીપીરમાં ફસાયેલા ૩૦૦ થી વધુ લોકોને બચાવવામાં એસપી સૌરભ તોલંબીયાની કાબીલેદાદ કામગીરી

રાજકોટ, તા., ૧રઃ ગુજરાતમાં કચ્છ સહિત સર્વત્ર મેઘરાજાના કહેરને કારણે ઠેર-ઠેર લોકો ફસાવાના પગલે-પગલે પાકિસ્તાનની બોર્ડર નજીક હાજીપીરમાં ૩૦૦ થી વધુ લોકો ફસાતા આ લોકોને બચાવવા માટે કચ્છ કલેકટર તથા એસપી સૌરભ તોલંબીયાને જાણ થતા જ તેઓએ જામનગરથી વાયુસેનાના હેલીકોપ્ટર મારફત ફસાયેલા લોકોને સલામત સ્થળે ખસેડયા હતા.

બચાવ કાર્યમાં એસપી સૌરભ તોલંબીયા  જાતે જોડાયા હતા અને નાના બાળક સહિત અનેક લોકોને મોતના મુખમાંથી બચાવી પ્રસંશનીય કાર્ય કર્યુ તે બદલ ઉચ્ચ અધિકારીઓ અને લોકો દ્વારા એસપી સૌરભ તોલંબીયા પર અભિનંદનની વર્ષા થઇ રહી છે. (મો.નં. ૯૯૭૮૪ ૦પ૦૭૩)

(12:07 pm IST)