Gujarati News

Gujarati News

News of Monday, 12th August 2019

દામનગરમાં નધણીયાત ઢોરથી લોકો પરેશાન

દામનગરઃ તંત્રના વાંકે જાહેર રસ્તા ઉપર સતત બેસી રહેતા ને રખડતા ભટકતા રહેતા નધાણીયાત ઢોરને કારણે લોકો હેરાન પરેશાન છે. કેટલાય લોકોને ઇજા કરનાર આંખલાઓને અને રેઢીયાળ પશુઓને પકડીને પાંજરાપોળમાં મોકલી આપવાને બદલે જનતા હેરાન થાય તેમાં વધુ રસ હોય તેવું લાગે છે. આને કારણે સતત અકસ્માતનો ભય રહ્યા કરે છે. લોકોની સલામતિની ચિંતા કરીને જવાબદારો રેઢીયાળ પશુઓનો પ્રશ્ર હલ કરે તેવી શહેરીજનોમાંથી બુલંદ માંગ ઊઠી છે. રોડ વચ્ચે નધણિયાત ઢોરની તસ્વીર. (તસ્વીર અહેવાલઃ વિમલ ઠાકર.દામનગર)

(11:59 am IST)