Gujarati News

Gujarati News

News of Sunday, 12th July 2020

સૌરાષ્ટ્રમાં આજે વિરામ લેતા મેઘરાજા : અમરેલી – વેરાવળ – જુનાગઢ - પોરબંદર સહિતના શહેરોમાં ઉઘાડ : જામનગરમાં ઝરમર વરસાદ : રાજકોટમાં વાદળછાયું વાતાવરણ

રાજકોટ : રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં બે-ત્રણ દિવસ સંતોષકારક વરસાદ પડયા બાદ આજે રવિવારે સૌરાષ્ટ્રના અમરેલી-વેરાવળ-જુનાગઢ-પોરબંદર સહિતના જિલ્લાઓમાં ઉઘાડ સાથે તડકો નિકળ્યો હતો.

જયારે  અમુક જિલ્લામાં વાતાવરણ વાદળછાયું હતું પરંતુ વરસાદ પડે તેવા કોઇ સંજોગો વર્તાતા નહોતા.

રાજકોટમાં પણ સવારથી વાતાવરણ વાદળછાયું છે સૂર્યનારાયણના દર્શન થયા નથી બફારો બહુ જ જોવા મળે છે.

(2:38 pm IST)