Gujarati News

Gujarati News

News of Friday, 12th July 2019

મોરબી : દેશ વિરોધ પ્રવૃતિઓ ઉપર અંકુશની માંગણી સાથે વિહિપ દ્વારા આવેદન

મોરબી તા.૧૨ : અલગાવવાદી માનસિકતા ધરાવતા તત્વો દ્વારા દેશ વિરોધી અને હિંદુ વિરોધી ગતિવિધિઓ વધી રહી છે જેના પર અંકુશ માટે વિશ્વ હિંદુ પરિષદ દ્વારા જીલ્લા કલેકટરને આવેદન પાઠવવામાં આવ્યું છે વિશ્વ હિંદુ પરિષદ મોરબી શહેર દ્વારા આજે જીલ્લા કલેકટર મારફત રાષ્ટ્રપતિને આવેદન પાઠવી જણાવ્યું હતું કે છેલ્લા વર્ષોમાં અલગાવવાદી માનસિકતા ધરાવતા ઇસ્લામિક જિહાદી સંગઠનો દેશ વિરોધી પ્રવૃતિઓ કરી રહ્યા છે જે હિંદુ સમાજના ધર્મસ્થાનોને ખુલ્લેઆમ નિશાન બનાવી રહ્યા છે તેમજ મોબ લીચિંગના નામે ગૌરક્ષકો, રામ ભકતોને બદનામ કરવાનું ષડ્યંત્ર રચી રહયા છે માસૂમ બાળકીઓ અને હિંદુ બહેનો સાથે જીહાદીઓ હેવાનિયત આચરી રહ્યા છે જેહાદી આતંકવાદ, લવ જેહાદથી હિંદુઓના ધર્મપરિવર્તન, કાશ્મીર, કેરલ અને બંગાળ તેમજ કર્નાટકમાં હિંદુઓ પર સતત હુમલા થઇ રહયા છે રાજધાની દિલ્હીના ચાંદની ચોકમાં હિંદુ મંદિર પર હુમલો કરવામાં આવ્યો હતો યોજનાબદ્ઘ રીતે હિંદુ આસ્થાના કેન્દ્રોને નિશાન બનાવી પોતાના કુકર્મો પર પડદો પાડવા પ્રયાસ કરી રહ્યા છે જય શ્રીરામનો ઉદદ્યોષ અંગે જુઠાણું ફેલાવે છે ત્યારે જેહાદીઓ અને કહેવાતી સેકયુલર પાર્ટીના પ્રચાર પર અંકુશ લગાવીને શાંતિપ્રિય હિંદુ સમાજ તથા રાષ્ટ્રીય મુલ્યોની રક્ષા કરવામાં આવે તેવી માંગ કરી છે

 આવેદન આપતી વેળાએ વિશ્વ હિંદુ પરિષદ અગ્રણી ચંદ્રકાંતભાઈ પુજારા, કમલભાઈ દવે, વિક્રમભાઈ શેઠ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(11:41 am IST)