Gujarati News

Gujarati News

News of Friday, 12th July 2019

ભાવનગરના કાનપરના શહિદ વિર જવાન દિલીપસિંહ ડોડીયાનો પાર્થિવદેહ પંચમહાભુતમાં વિલીન

ભાવનગરઃ જમ્મુ-કાશ્મીરમાં ફરજ બજાવતા ભાવનગર જીલ્લાના વલ્લભીપુરના કાનપર ગામના વીર જવાન દિલીપસિંહ ડોડીયા ઉ.ર૦ શહીદ થતા તેમના પાર્થિવદેહને આજે તેના વતન કાનપર ગામે લાવવામાં આવેલ અને આર્મી સન્માન સાથે અંતિમ વિદાય આપવામાં આવી હતી. આ પ્રસંગે કારડીયા રાજપુત સમાજના અગ્રણીઓ અને ગ્રામ્યજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જન્મભૂમિ કાનપરમાં વીર જવાનને શ્રદ્ધાંજલી અર્પતા હોર્ડીંગ્સ અને બેનર લાગ્યા હતા. જમ્મુ-કાશ્મીરમાં ફરજ બજાવતા ભાવનગરના શહીદ ડોડીયા દિલિપસિંહનો પાર્થિવ દેહને ગઇકાલે રાત્રે પ્લેન મારફતે અમદાવાદ એરપોર્ટ પર લાવવામાં આવ્યા બાદ રાજયમંત્રી વિભાગરીબેન, ભાજપ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણી અને ભુપેન્દ્રસિંહ ચડાસમાં હાજર રહીને વીર શહીદનેશ્રદ્ધાંજલી પાઠવી(તસ્વીરઃ અહેવાલ-મેઘના વિપુલ હિરાણી-ભાવનગર)

(11:25 am IST)