Gujarati News

Gujarati News

News of Wednesday, 12th June 2019

વાયુ વાવાઝોડાએ વેરાવળમાં નુકશાન વેર્યું :ભારે પવન ફૂંકાતાં થાંભલા પડ્યા:ઘરોના છાપરા ઉડ્યા

સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં વાયુ વાવાઝોડાની અસર થવા લાગી છે. આ વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડવા લાગ્યો છે. ત્યારે ભારે પવનના કારણે તબાહી થવાની શરૂ થઇ ગઇ છે.

વેરાવળના કેટલાક વિસ્તારોમાં ભારે પવનના કારણે વીજળીના થાંભલા અને ઘરોના છાપરા ઉડી ગયા હતા.

  વાયુ વાવાઝોડું વેરાવળ અને દ્વારકા વચ્ચેથી પસાર થવાનું હવામાન વિભાગ જણાવી રહ્યું છે ત્યારે વેરાવળમાં પણ ભારે પવનથી તબાહી શરૂ થઇ છે.

વેરાવળના કેટલાક વિસ્તારોમાં નુકસાન થવા પામ્યું છે

(11:51 pm IST)