Gujarati News

Gujarati News

News of Wednesday, 12th June 2019

ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાઘાણી અને જુનાગઢ જીલ્લાના ભાજપના પ્રભારી નીતિનભાઈ ભારદ્વાજનો ગીર -સોમનાથમાં મુકામ

વાયુ વાવઝોડાનો ખતરો ટળે નહીં ત્યાં સુધી મુકામ કરીને ચાંપતી નજર રાખશે

રાજકોટ :ગુજરાતમાં વાયુ વાવાઝોડાને પગલે ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાઘાણી અને જુનાગઢ જીલ્લાના ભાજપના પ્રભારી નીતિનભાઈ ભારદ્વાજ ગીર સોમનાથમાં પહોંચ્યા છે.

પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાઘાણી અને પ્રભારી મંત્રી નીતિનભાઈ ભારદ્વાજ ગીર સોમનાથમાં જ મુકામ કરશે અને વાયુ વાવઝોડાનો ખતરો ટળે નહીં ત્યાં સુધી બન્ને મહાનુભાવો પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખશે.

(10:47 pm IST)