Gujarati News

Gujarati News

News of Wednesday, 12th June 2019

પિયાવાની પ્રા.શાળાના આચાર્ય સંજય પરમાર ચાર દિવસથી ગુમ

પોલીયો ગ્રસ્ત સંજયભાઇ લાપતા થતા પરીવાર ચિંતીત

જુનાગઢ, તા., ૧રઃ વિસાવદરના મોટી મોણપરી ગામે રહેતા અને પિયાવા ગામે પ્રાથમીક શાળામાં આચાર્યની ફરજ બજાવતા સંજયભાઇ મસરીભાઇ પરમાર (ઉ.વ.૩૮) ચાર દિવસથી ગુમ થતા પરીવાર ચિંતીત બન્યો છે.

પોલીયોગ્રસ્ત સંજય પરમારના પત્ની ભાવનાબેને વિસાવદર પોલીસમાં કરેલી જાહેરાત મુજબ તેમના પતિ સંજયભાઇ ગત તા.૯ના રોજ સગાઇ પ્રસંગે જાવ છુ તેમ કહી મોટર સાયકલ પર નિકળ્યા હતા. પરંતુ ઘરે પરત નહિ ફરતા તેઓ લાપતા થયા હોવાની જાણ કરતા પીએસઆઇ આર.બી. દેવમુરારીએ તપાસ હાથ ધરી છે.

લાપતા સંજયભાઇ પરમારની કોઇને ભાળ મળે તો ભુપતભાઇ નલીયાપરાના મોબા. ૯૯૦૯૭ ૩૬૪પપ, સુરેશ મારૂ ૮૮૬૬૬ ૬૪૮૬૬ ચીમનભાઇ કાથડ ૮૮૪૯પ૮ પપ૭૯ અથવા ગૌતમ પરમારના મો.નં. ૭૦૬૯૮ ૩૩૧૩૧ ઉપર જાણ કરવા અનુરોધ કરાયો છે.

(3:47 pm IST)