Gujarati News

Gujarati News

News of Wednesday, 12th June 2019

કોંગ્રેસના ૧પ નગરસેવકોએ કોંગ્રેસ છોડીને ભાજપમાં પ્રવેશ મેળવ્યા બાદ અમરેલી પાલિકામાં હવે ભાજપનું શાસન

કોંગી નગરસેવક સંદિપ ધાનાણીએ પક્ષાંતર ધારા હેઠળ કરેલી અરજી રદ કરવામાં આવી

અમરેલી, તા.૧ર :  અમરેલી પાલિકામાં બળવો કરનાર ૧ઉં કોંગી નગરસેવકોનું સભ્યપદ યથાવત રહેતાં પાલિકામાં હવે સત્ત્।ાવાર રીતે ભાજપનું શાસન સ્થપાયું છે.

વિગત એવા પ્રકારની છે કે, આજથી એક વર્ષ પહેલાં પ્રમુખપદની યોજાયેલ ચૂંટણીમાં કોંગ્રેસપક્ષનાં ૧ઉં નગરસેવકોએ પક્ષનાં આદેશની અવગણનાં કરીને ભાજપનાં સહયોગથી પાલિકાનાં શાસન પર કબ્જો મેળવી લીધો હતો.

બાદમાં કોંગી નગરસેવક સંદિપ ધાનાણીએ ૧ઉં કોંગી બળવાખોર નગરસેવકો વિરૂઘ્ધ પક્ષાંતર ધારા હેઠળ ફરિયાદ દાખલ કરતાં સક્ષમ અધિકારી ઘ્વારા કોંગી નગરસેવકની અરજી નામંજુર કરવામાં આવી હતી.

જાહેર થયેલ હુકમમાં જણાવેલ છે કે, અરજદાર સંદિપકુમાર બાવચંદભાઈ ધાનાણી, કાઉન્સિલર અમરેલી નગરપાલિકા અત્રે દાખલ થયેલ વિવાદ અરજી નં. ૬/ર૦૧૮ ગુજરાતનો પક્ષાંતર બદલ સ્થાનિક સત્ત્।ા મંડળોનાં સભ્યોને ગેરલાયક ઠરાવવાની જોગવાઈ કરતી અધિનિયમ ૧૯૮૬ અને તે હેઠળ બનાવવામાં આવેલ નિયમો ૧૯૮૭દ્ગક્ન નિયમ (૮) ની જોગવાઈ અન્વયે સામાવાળા ક્રમ (૧) પ્રિતીબેન શૈલેષભાઈ રૂપારેલ (ર) કોમલબેન સંજયભાઈરામાણી, (૩) અલકાબેન ગોંડલીયા (૪) માધવીબેન રાજનભાઈ જાની (પ) પ્રવિણભાઈ ભુરાભાઈ માંડાણી (૬) જેન્તિભાઈ મોહનભાઈ રાણવા (૭) નટુભાઈ મોહનભાઈ સોજીત્રા (૮) પ્રકાશભાઈ રણછોડભાઈ કાબરીયા (૯) નવાબ અઝીજભાઈ ગોરી (૧૦) જયશ્રીબેન વાલજીભાઈ ડાબસરા (૧૧) મૌલીક જયેશભાઈ ઉપાઘ્યાય (૧જી) પંકજભાઈ ધીરૂભાઈ રોકડ (૧૩) હિરેશનભાઈ ભીખાભા સોજીત્રા (૧૪) શકીલભાઈ રફીકભાઈ સૈયદ (૧ઉં) કંચનબેન રમેશભાઈ વાદ્યેલા ને અમરેલી નગરપાલિકાના સભ્ય તરીકે ગેરલાયક ઠરાવવાની અને તેઓ વિરૂઘ્ધ કાયદેસરના પગલા લેવા અંગેની અરજી શ્ન નામંજુર'ઙ્ગ કરવામાં આવેલ છે, જયારે આ તમામા સદસ્યો વતી ગુજરાત હાઈકોર્ટના જાણીતા એડવોકેટ રાજેશ રૂપારેલે ધારદાર દલીલો કરી હતી.

(2:19 pm IST)