Gujarati News

Gujarati News

News of Wednesday, 12th June 2019

વીરપુર જલારામધામમાં ૧૩ જેટલી આંગણવાડીઓમાં સૂવિધાઓ માત્ર કાગળ પર જ....

વીરપુર, તા.૧૨:  યાત્રાધામ વીરપુરમાં આવેલી ૧૩ જેટલી આંગણવાડીઓની હાલત કફોડી બની ગઈ છે.

વીરપુરમાં તંત્ર દ્વારા બનાવવામાં આવેલ ૧૩ જેટલી આંગણવાડીઓમાં સુવિધાઓમાં જોઈએ તો અમુક આંગણવાડીઓમાં પંખા તો છે પણ બંધ હાલતમાં છે ઉનાળાના ઉંચા તાપમાનને લઈને ધોમધખતા તાપમાં નાના ભૂલકાઓની દયનિય સ્થિતિ સર્જાઈ છે,તો અમુક આંગણવાડીઓમાં બાળકોને વજન કરવાના કાંટાની પણ સુવિધા નથી,બાળકોના વજન આંગણવાડીમાં અપાતા રેશન જોખવાના કાંટા દ્વારા કરવામાં આવે છે તો કેટલીક આંગણવાડીઓમાં બાળકોને સૌચ કરવા માટેના સૌચાલય પણ જર્જરિત હાલતમાં છે.

વીરપુરમાં આવેલ ૧૩ જેટલી આંગણવાડીઓમાં ફાયરસેફટીના કોઈપણ પ્રકારના જરૂરી સાધનો જ નથી,ગરીબ નાના બાળકો કુપોષણના શિકાર ન બને તે માટે સરકાર દ્વારા આંગણવાડીમાં અનેક યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે પણ સરકાર દ્વારા અમલમાં મુકાયેલ યોજનાઓ જ કુપોષણનો શિકાર બની ગઈ હોય તેમ એમાની એક પૂરક આહાર યોજના આ યોજનામાં બાળકોને પૂરતો આહાર અને પૂરતું પોષણ મળી રહે અને કોઈ બાળક કુપોષણના શિકાર ન બને તે હેતુથી આંગણવાડીઓમાં આવતા બાળકો માટે ત્યાંજ પોષણયુકત આહાર તેમજ આર.ઓ પાણી આપવામાં છે. પરંતુ વાસ્તવમાં જોઈએ તો આ યોજના હેઠળ બનાવવામાં આવતો આહાર લોટ પાણીને લાકડા જેવો છે, બાળકોને આપવામાં આવતા આહારમાં હલકું ગુણવત્ત્।ા વાળો આહાર અપાય છે.

વીરપુરમાં આવેલી ૧૩ જેટલી આંગણવાડીઓમાં આર.ઓ પાણી માટે ફિલ્ટર તો છે પણ તે શોભના ગાંઠિયા સમાન છે તેઙ્ગ આર.ઓ.પાણીના ફિલ્ટર બંધ હાલતમાં છે જયારે બીજી એક યોજનાની વાત કરીએ તો હોમ ટેક રેશન યોજના આ યોજના તંત્ર દ્વારા આંગણવાડીઓની હેઠળ સર્વે મુજબ ગર્ભવતી મહિલાઓ તેમજ ધાત્રી અને કિશોરીઓને લાગુ પડે છે આ યોજનામાં આંગણવાડિયોના સર્વે મુજબ જે મહિલાઓ ગર્ભવતી હોય તેમજ ધાત્રી અને કિશોરીઓને પોષણયુકત આહાર મળી રહે તે હેતુથી ઘઉં,મગછળી દાળ,તેલ અને આયોડીન યુકત મીઠું આપવામાં આવે છે પરંતુ આ યોજનાની વાસ્તવિકતા જોઈએ તો આ યોજના ફકત કાગળ પર હોય તેમ છેલ્લા કેટલાક સમયથી ગર્ભવતી મહિલાઓને કે ધાત્રીઓને તેમજ કિશોરીઓને આ યોજનાનો લાભ મળતો નથી જયારે કોઈ ગર્ભવતી મહિલાઓ કે કિશોરીઓ હોમ ટેક રેશન યોજના અંતર્ગત પોતાના એરિયામાં આવતી આંગણવાડીઓમાં આ યોજનામાં આવતા રાશન લેવા જાય ત્યારે છેલ્લા દ્યણા સમયથી કોઈવાર પૂરતો રાસનનો માલ આપવામાં આવતો નથી કોઈવાર માત્રને માત્ર દ્યઉં અને મીઠું જ આપવમાં આવે છે તેલ તેમજ મગછળી દાળ આપવામાં આવતી નથી હોવાની ફરિયાદ લાભાર્થીઓમાં ઊઠવા પામી છે,જો કે વીરપુરમાં આવેલ ૧૩ જેટલી આંગણવાડીઓના સંચાલિકાઓ બહેનોની પણ ફરિયાદ છે કે અનેક વખત તે સંચાલિકાઓએ પણ તેમના સુપરવાઈઝરને આ બાબતે જાણ કરી છે છતાં કોઈપણ જાતના પગલાં લેવામાં આવતા નથી આ અંગે જેતપુર તાલુકા આંગણવાડીના ઈન્ચાર્જ સી.ડી.પી.ઓ અને વીરપુર આંગણવાડીના સુપરવાઈઝર હંસાબેન પટેલને પૂછતાં તેમને ઉડાવ જવાબ આપ્યો હતો કે પાછલા મહિનાનું જે રાશન બાકી છે તે અમારી પાસે ના હોય અને જે ઉપરથી આવે તે આપીશું ! હવે  જોવાનું એ રહ્યું કે કુપોષણ સામે રક્ષણના મોટાં બંગાળા ફૂંકતી સરકાર આંગણવાડીઓમાં આપવામાં આવતી યોજનાઓનો લાભ લાભાર્થીઓને પૂરો મળશે કે કેમ! આ અંગે તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં આવશે કે કેમ તેવી લોકમુખે ચર્ચાઓ જાગી છે.

(1:26 pm IST)