Gujarati News

Gujarati News

News of Wednesday, 12th June 2019

પોરબંદર જિલ્લાના કુતિયાણા અને રાણાવાવ કાંઠા વિસ્તારમાંથી ૩૨૦૦ લોકોનું સલામત સ્થળે સ્થળાંતર

માધવપુર દરિયાકાંઠા નીચાણવાળા વિસ્તારમાં ૨૦૦થી વધુ લોકોનું સ્થળાંતરઃ સુભાષનગર - ઓડદરમાંથી લોકોને સલામત સ્થળે ખસેડાયા

પોરબંદર, તા. ૧૨ :. પોરબંદર દરીયાકાંઠે વાયુ વાવાઝોડુ ત્રાટકવાની સંભાવનાને લઈ તકેદારીના પગલારૂપે જિલ્લાના કુતિયાણા અને રાણાવાવ દરીયાકાંઠા વિસ્તારમાં રહેતા ૩૨૦૦ લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરાયુ છે.

કુતિયાણા કાંઠેથી ૨૧૫૫ તથા રાણાવાવ કાંઠેથી ૧૦૮૮ લોકોને સલામત સ્થળે ખસેડાયા છે. માધવપુર ઘેડ કાંઠેથી ૨૦૦થી વધુ લોકોને સલામત સ્થળે લઈ જવાયા છે. પોરબંદરના સુભાષનગર ઓડદર જાવર સહિત કાંઠા વિસ્તારના લોકોને સલામત સ્થળે લઈ જવાની કામગીરી ચાલી રહેલ છે.

(1:25 pm IST)