Gujarati News

Gujarati News

News of Wednesday, 12th June 2019

ભાણવડના વિજયપુરમાં વાડીમાં વીજ કરંટ લાગતા દાદુભાઇ આહીરનું રાજકોટમાં મોત

રાજકોટ તા. ૧ર :.. ભાણવડના વિજયપુર પાસે વાડીમાં ઇલેકટ્રીકનું કામ કરતી વખતે વીજ કરંટ લાગતા આહીર યુવાનનું મોત નિપજયું હતું.

મળતી વિગત મુજબ વિજયપુર ગામ પાસે વાડીમાં રહેતા દાદુભાઇ રામદેવભાઇ બંધીયાર (ઉ.૩પ) પરમ દિવસે પોતાની વાડીએ હતાં. ત્યારે ઇલેકટ્રીક વાયરીંગનું કામ કરતા હતાં. ત્યારે કરંટ લાગતા બેભાન થઇ જતા તેને તાકીદે સારવાર માટે રાજકોટની સદ્ભાવના હોસ્પિટલમાં ખસેડાયા હતાં. ત્યાં તેનું સારવાર દરમ્યાન ગઇકાલે મોત નિપજયુ હતું. આ અંગે યુનિવર્સિટી પોલીસ   મથકના હેડ કોસ. અજયસિંહએ પ્રાથમિક કાગળો કરી ભાણવડ મોકલવા તજવીજ હાથ ધરી છે.

(11:59 am IST)