Gujarati News

Gujarati News

News of Wednesday, 12th May 2021

મોરબીના લીલાપર રોડ પરના સ્મશાન જર્જરિત હાલતમાં, સુવિધાઓનો પણ અભાવ

મોરબીના લીલાપર રોડ પર આવેલ સ્મશાનગૃહ જર્જરિત હાલતમાં જોવા મળે છે તેમજ સુવિધાઓનો પણ સદંતર અભાવ હોય જેથી સ્મશાનના રીનોવેશન માટે કામગીરી કરાય તેવી લોક માંગ ઉઠી રહી છે
મોરબીના લીલાપર રોડ પર આવેલ સ્મશાનગૃહમાં કોઈ વ્યવસ્થા કે સુવિધા જોવા મળતી નથી અહી પીવા માટે પાણી પણ નસીબ થતું નથી તો સ્મશાનની દીવાલો જર્જરિત થયેલ છે અને અંતિમ વિધિ માટેના ખાટલા પણ તૂટી ગયેલા જોવા મળે છે એટલું જ નહિ અહી ગંદકીની પણ ભરમાર જોવા મળે છે પવિત્ર જગ્યામાં મૂર્તિ પણ ખંડિત થયેલ જોવા મળે છે ત્યારે મોરબીના આ મુક્તિધામની સુરત બદલવા તંત્ર યોગ્ય કામગીરી કરે તેવી લોકો માંગ કરી રહ્યા છે

(10:18 pm IST)