Gujarati News

Gujarati News

News of Wednesday, 12th May 2021

શુક્રવારથી સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીના સાનિધ્યમાં ભકતોના મોક્ષાર્થે શ્રીમદ્ ભાગવત કથા

વાંકાનેર,તા. ૧૨: બોટાદ જિલ્લાના આવેલ સુપ્રસિદ્ઘ યાત્રાધામ સાળંગપુરધામમાં આવેલ જગ વિખ્યાત શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર સાળગપુર આયોજિત શ્રી હનુમાનજી મહારાજના દરબારમાં 'દેવ લોક પામેલા' ભકતોના મોક્ષાર્થે આગામી તા.૧૪/૫/ ૨૧ થી તા.૨૪/૫ /૨૦૨૧ દરમ્યાન 'શ્રીમદ્દ ભાગવત કથા'નુ આયોજન કરવામાં આવેલ છે , જે કથાનો સમય રાત્રે ૮:૩૦ થી ૧૧:૦૦ સુધીનો છે. જે કથામાં વ્યાસપીઠ પર વકતાઃ પરમ પૂજય શાસ્ત્રીશ્રી હરીપ્રકાશદાસજી સ્વામીજી (અથાળાવારા) બિરાજી અનેરા સંગીતની શેલીમાં શ્રી ભાગવત કથાનું રસપાન કરાવશે અહીં જણાવેલ વોટ્સઅપ નંબર ૯૮૨૫૮ ૩૫૩૦૬ ઉપર દેવલોક પામેલ વ્યકિતનું નામ મોકલવું એ નામથી કથામાં સંકલ્પ અને ભાગવત સહિતા પઠન કરવામાં આવશે આ ઉપરાંત ત્રીસ દિવસ ભજન પર્વ ઘર બેઠા શ્રી હનુમાન ચાલીસાના પાઠ કરીયે અને દાદાને રાજી કરીએ કોરોનાકાળમાં આવો આપણે સૌ સાથે મળીને એક મહિના સુધી શ્રી હનુમાન ચાલીસાના પાઠ કરીએ અને દાદા ને રાજી કરીએ અને પ્રાર્થના કરીએ આ મહામારીમાંથી દાદા સૌની રક્ષા કરે આપે કરેલ હનુમાન ચાલીસાના પાઠની વિગત તથા આપનું નામ વોટ્સઅપ નંબરમાં મોકલી આપો મો. ૯૮૨૫૮ ૩૫૩૦૬ મહિનાના અંતે શ્રી સાળગપુરધામમાં આપના નામ સાથે 'શ્રી મારૂતિ યજ્ઞ' દ્વારા આ ભજન પર્વની પુર્ણાહુતી કરવામાં આવશે. આગામી તા. ૧૪ મે થી ૨૪ મે દરમ્યાન શ્રી ભાગવત કથાનું સુંદર આયોજન થયેલ હોય પણ દરેક હરી ભકતજનોને ઘર બેઠા ઓનલાઇન નિહાળવા શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરના કોઠારી સ્વામીશ્રી વિવેકસાગરદાસજી સ્વામીશ્રી તેમજ ડી.કે.સ્વામીજીએ જણાવેલ છે ONLINE ON > YOU TUBE  SALGPUR HANUMANJI , ઉપર લાઈવ કથા , દરેક પ્રસંગ આવશે.

(11:33 am IST)