Gujarati News

Gujarati News

News of Wednesday, 12th May 2021

જન્મ થયાના ત્રીજા જ દિવસે સાયલાના સીરવાણીયા ગામના દંપતિના પુત્રનું મોત

બાળકને સારવાર માટે રાજકોટ ખસેડાયું પણ જીવ બચી ન શકયો

રાજકોટ તા. ૧૨: સાયલાના સીરવાણીયા ગામે રહેતાં મહિપત શેખ અને ભારતી શેખ (કોળી) નામના દંપતિના પુત્રનું જન્મના  ત્રીજા જ દિવસે મૃત્યુ નિપજતાં અરેરાટી વ્યાપી ગઇ હતી.

ગઢ સીરવાણીયા ગામે રહેતી ભારતીબેન મહિપત શેખે તા. ૯/૫ના રોજ ઘરે જ ડિલીવરી થતાં પુત્રને જન્મ આપ્યો હતો. ૧૦મીએ બાળકની તબિયત બગડતાં સુદામડા ડોકટરને બતાવ્યું હતું. એ પછી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયેલ. અહિ ગત સાંજે મૃત્યુ નિપજતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે ધજાળા પોલીસને જાણ કરી હતી. મહિપત મજૂરી કરી ગુજરાન ચલાવે છે. તેના કહેવા મુજબ જન્મ બાદ બાળકને તકલીફ થતાં સારવાર અપાવાઇ હતી. એ પછી રાજકોટ ખસેડ્યું હતું. પોતાને સંતાનમાં બે દિકરી હતી. ત્રીજુ સંતાન પુત્ર હતો. જેનું જન્મના ત્રીજા જ દિવસે મૃત્યુ થયું છે.

(11:31 am IST)