Gujarati News

Gujarati News

News of Saturday, 12th May 2018

મેંદરડાના ચાંદ્રાવાડીના દલિત યુવાનનો વ્યાજખોર દેવા ગોસ્વામીના ત્રાસથી આપઘાત

રૂ.૧ લાખના રૂ. પ લાખ ચૂકવવા છતા ઉઘરાણી કરતો'તો

જૂનાગઢ તા.૧૨:  મેંદરડાના ચાંદ્રાવાડીના દલિત યુવકને વ્યાજંકવાદી દેવા ગોસ્વામીના ત્રાસ અને ધમકીથી આપઘાત કરી લેતા ગમગીની સાથે હલચલ મચી ગઇ છે.

આ અંગે મૃતકના માતાના ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.

આ અંગેની વિગતો એવી છે કે જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાના ચાંદ્રાવાડી ગામે રહેતા પ્રભાબેન કરશનભાઇ જાદવ નામના દલિત મહિલાના પુત્ર અશોકે ગામના દેવા વિજયગીરી ગૌસ્વામી પાસેથી પાંચ વર્ષના ગાળામાં કટકે કટકે રૂ.૧ લાખ વ્યાજે લીધા હતા.

પરંતુ અશોકભાઇએ દેવા ગૌસ્વામીને રૂ.૫ લાખ ચુકવી દીધેલ. આમ છતા દેવાએ વધુ રૂપીયાની ઉઘરાણી કરી અશોક જાદવ સાથે ઝઘડો કરેલ.

તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી મરી જવા મજબુર કરતા અશોકભાઇએ તા.૧૦મી સાંજે પોતાની વાડીએ ઝેરી ટીકડા ખાઇ લીધા હતા અને તેનું સારવાર દરમ્યાન મૃત્યુ થયું હતું.

આ અંગે ગત રાત્રે મરનાર યુવકની માતા પ્રભાબેન જાદવે દેવા વિજયગીરી ગૌસ્વામી વિરૂધ્ધ ફરીયાદ કરતા પોલીસે કલમ ૩૦૬ વગેરે મુજબ ધોરણસરની કાર્યવાહી કરી હતી.  વિશેષ તપાસ કેશોદના એએસપી સંજય ખેરાત ચલાવી રહયા છે.

(3:59 pm IST)