Gujarati News

Gujarati News

News of Monday, 12th April 2021

આપાગીગા ઓટલાના મહંત પૂ.નરેન્દ્રબાપુ (નરેન્દ્રભાઈ સોલંકી) અને તેમના પરિવારને કોરોના પોઝીટીવઃ હોમ આઈસોલેશનમાં

રાજકોટ : પ્રસિદ્ધ તીર્થ સ્થળ ચોટીલા આપાગીગા ઓટલાના મહંત નરેન્દ્રભાઈ સોલંકી (નરેન્દ્રબાપુ) અને તેમના પરિવારજનો કોરોનાથી સંક્રમિત થયા હોય તેઓ હોમ આઈસોલેટેડ થયા છે. તમામની તબિયત સારી છે અને તેઓ તબીબી માર્ગદર્શન હેઠળ સારવાર લઈ રહ્ના છે. નરેન્દ્રબાપુઍ અગાઉ કોરોનાના દર્દીઓ માટે પીપીઈ કીટ, લોકડાઉન વખતે ગરીબોને અનાજ વિતરણ સહિતની સેવાઓ કરી હતી. ચોટીલા ખાતે આપાગીગાના ઓટલામાં છેલ્લા ઘણા વર્ષોથી અન્નક્ષેત્ર ચલાવી રહ્ના છે. તેઓ ગુર્જર પ્રજાપતિ સમાજના અગ્રણી છે. તેઓ અને તેમના પરિવારજનો વ્હેલી તકે ફરી તંદુરસ્તી મેળવે તેવી સૌ શુભેચ્છકો આપાગીગાને પ્રાર્થના કરી રહ્ના છે.

પૂ. નરેન્દ્રબાપુઍ અકિલા સાથે વાતચીત કરતાં તેમણે કહ્નાં કે હું ઘરે જ હોમ કવોરન્ટાઈન છુ અને ડોકટરની સલાહ મુજબ સારવાર લઈ રહ્ના છું: પૂ. આપાગીગા અને પૂ.જીવરાજબાપુની અસીમ કૃપાથી મારી અને મારા પરિવારની તબિયત સારી છે.

(5:56 pm IST)