Gujarati News

Gujarati News

News of Monday, 12th April 2021

પૂ. ભારતીબાપુની વિદાયથી સંત સમાજે એક સાચા માર્ગદર્શક ગુમાવ્યા છેઃ પૂ.જેન્તીરામબાપા

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા. ૧ર :..  ગઇકાલે પૂ. ભારતીબાપુ બ્રહ્મલીન થતા સાધુ સંતોમાં શોક છવાયો છે.

ત્યારે ધુનડા સતપુરણધામ આશ્રમના પૂ. જેન્તિરામબાપાએ શ્રધ્ધાંજલી આપતા જણાવ્યું હતું કે પૂ. બાપુ અતિ સરળ સ્વભાવના સંત અને સૌના માર્ગદર્શક હતા તેઓ ધુનડા સતપુરણધામ આશ્રમની મુલાકાતે આવેલ ત્યારે અહીંની સેવાકીય પ્રવૃતિ નિહાળી ખુબ પ્રભાવિત થયા હતા આજે પૂ. બાપુની વિદાયથી સમગ્ર સંતસમાજને કયારેય ન પુરી શકાય તેવી ખોટ પડી છે સદ્ગુરૂ ભગવાન તેમના દિવ્ય આત્માને ચરણોમાં સ્થાન આપે એજ પ્રાર્થના જે ભગવાન.

(3:24 pm IST)