Gujarati News

Gujarati News

News of Monday, 12th April 2021

પોરબંદરમાં સુતારવાડાના વેપારીઓ દ્વારા બપોર પછી દુકાનો બંધ રાખવાનો નિર્ણય

પોરબંદર, તા., ૧૨: કોરોના વધતા સંક્રમણ ધ્યાને લઇને સુતારવાડાના વેપારીઓએ બપોર પછી દુકાનો બંધ રાખવાનો નિર્ણય લીધો છે.

સુતારવાડામાં તા.૧ર થી રપ સુધી બપોરે ૩ વાગ્યા પછી વેપાર ધંધા બંધ રાખવાની અપીલ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ જીગ્નેશભાઇ કારીયા અને ગ્રેઇન મર્ચન્ટ એસો.ના પ્રમુખ અનિલભાઇ કારીયાએ કોરોના સંક્રમણ અટકાવવા વેપારીઓને સ્વૈચ્છીક બંધ રાખવા અને સહકાર આપવા અપીલ કરી છે.

(1:30 pm IST)