Gujarati News

Gujarati News

News of Monday, 12th April 2021

વિંછીયા તાલુકા હેલ્થ ઓફીસમાં NRHMનો રેગ્યુલર સ્ટાફ ભરવા માંગ

જસદણ તા.૧૨ : મુખ્યમંત્રીશ્રી  આનંદીબેન પટેલ હતા ત્યારે  રાજકોટ જિલ્લામાં નવી પાંચ તાલુકા હેલ્થ ઓફિસ  શરુ કરવામાં આવેલ  હતી તેમાંથી ચાર તાલુકા હેલ્થ ઓફિસમાં એન.આર.એચ.એમ.નો રેગ્યુલર સ્ટાફ   ભરવામાં આવેલ પરંતુ  વિંછીયા તાલુકા હેલ્થ ઓફિસમાં એન.આર.એચ.એમ.નો રેગ્યુલર સ્ટાફ ભરેલ ન હોય જેથી ે અતિપછાત તાલુકાની આરોગ્ય સેવા કથળેલ છે. (૨) વિંછીયા તાલુકામાં છ પી.એચ.સી આવેલ છે તેમાં મેડિકલ ઓફિસરની ચાર જગ્યા ખાલી છે બે પી.એચ.સીમાં ડોકટરની નિમણૂંક થયેલ છે તેમાંથી એક ડોકટરને તાલુકા હેલ્થ ઓફિસનો ચાર્જ આપેલ છે જેથી પાંચ પી.એચ.સી મેડિકલ ઓફિસર વગર રામ ભરોષે ચાલે છે. રાજકોટ જિલ્લાના એક પણ તાલૂકામાં સ્ટાફની ઘટ નથી તો વિંછીયા તાલુકામાં આજ તારીખ સુધી કેમ આરોગ્યની જગ્યા ભરવામાં આવેલ નથી(૩) સી.એચ.સી વિંછીયામાં મેડિકલ ઓફિસર, લેબોરેટરી ટેકનિશિયન અને ડેન્ટલની કાયમી નિમણુંક આજ તારીખ સુધી કરવામાં આવેલ નથી. વિંછીયા તાલુકાના ૪૬ ગામો કુદરતના ભરોસે જીવી રહેલ છે. ખડ પાણી ને ખાખરા,પાણા નો નય પાર,વગર દિવે વાળુ કરે,અમારો ભલો દેશ પાંચાળ કેબિનેટ મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા સાહેબ દ્વારા આરોગ્ય મંત્રીશ્રીને અને ડી.ડી.ઓ.શ્રી અને જિલ્લા આરોગ્ય અધિકારીના ચાર્જમાં ર્ડા.ભંડેરીને અનેક રજુઆત કરેલ હોવા છતાં આજ તારીખ સુધી વિંછીયા વિસ્તારના આરોગ્ય વિભાગના પ્રશ્નો હલ કરવામાં આવેલ નથી. ગુજરાત સરકાર દ્રારા જસદણ અને વિંછીયા તાલુકાને હાઈ પ્રાયોરેટીનાં નિયમમાં મુકેલ હોય તેવા વિસ્તારમાં આરોગ્ય સ્ટાફની જગ્યા ખાલી રાખી શકાતી નથી.

વિંછીયા તાલુકાના અશિક્ષિત,બે રોજગાર અને આર્થિક રીતે અતિ પછાત લોકોના હિતને ધ્યાને લઈ આરોગ્ય સેવા ઝડપી પુરી પાડવામાં નહિ આવે તો વિંછીયા તાલુકામાં કોરોનાનો હાહાકાર મચી જશે આ બાબતે પૂર્વ સંકલન સમિતિના પ્રમુખશ્રી કેરાળિયા ભુપતભાઈ સુંદરભાઈ દ્વારા સી.આર.પાટીલ ભાજપ પ્રદેશ પ્રમુખ, વિજયભાઈ રૂપાણી  મુખ્ય મંત્રીશ્રી ગુ.રા , નીતિનભાઈ પટેલ  આરોગ્ય મંત્રીશ્રી ગુ રા, કુંવરજી ભાઈ બાવળીયા  કેબિનેટ મંત્રીશ્રી ગુ .રા,જયંતિરવિ આરોગ્ય સચિવશ્રી ગુ.રા ,અને કલેકટર રાજકોટ ને લેખિત રજૂઆત કરેલ છે.

(12:12 pm IST)