Gujarati News

Gujarati News

News of Friday, 12th April 2019

ગુરૂવારે નરેન્દ્રભાઇ મોદીની અમરેલીમાં જાહેરસભા

અમરેલી સીટ ઉપર ભાજપને વધુ મજબુત કરાશેઃ આગેવાનો-કાર્યકરોમાં ઉત્સાહ

અમરેલી તા.૧૨: લોકસભાની ચૂંટણી માટે ભાજપ-કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષો દ્વારા જોરશોરથી પ્રચાર-પ્રસાર શરૂ કરાયો છે. ત્યારે આગામી તા. ૧૮ને ગુરૂવારે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી અમરેલીમાં જાહેરસભા સંબોધશે.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી પોતાની હોમપીચ ગુજરાતમાં જરા પણ કચાશ નહી રાખે તેમ લાગી રહ્યું છે કારણ કે જૂનાગઢમાં સભા યોજયા પછી તે પાસેના જ અમરેલીમાં સભા ન રાખે તેમ સૌ માનતા હતા પણ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની અમરેલીમાં આગામી ૧૮મીએ ફોરવર્ડ ગ્રાઉન્ડ ખાતે સભા યોજાનાર હોવાનું સૂત્રોએ જણાવ્યું હતંુ.

લોકસભાની અમરેલી બેઠક ઉપર રાજ્યના વિરોધપક્ષના નેતા અને જાયન્ટ કીલર કોંગ્રેસના શ્રી પરેશ ધાનાણીની સામે ભાજપમાંથી પંચાયતથી લઇ પાલાર્મેન્ટ સુધીની તમામ ચૂંટણીમાં અપરાજીત રહેલા ભાજપના ઉમેદવાર શ્રી નારણભાઇ કાછડીયાના સમર્થનમાં આજે ગુજરાતના પ્રજાવત્સલ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી જાફરાબાદમાં અને મહુવામાં સભા ઉપરાંત અમરેલીમાં બુદ્ધિજીવી નાગરિકો અને આગેવાનો સાથે સંવાદ કરવાના છે.

ત્યાર પછી અમરેલી સીટ ઉપર ભાજપને વધુ મજબુત કરવા માટે ૫૬ની છાતીનું બિરુદ પામેલા અને અમરેલી સાથે ધનિષ્ઠ રીતે સંકળાયેલા શ્રી નરેન્દ્રભાઇ મોદી મેદાનમાં આવી રહ્યા છે.

આગામી તા. ૧૮મીએ સવારના નવ વાગ્યે અમરેલીમાં શ્રી નરેન્દ્રભાઇ મોદીની જાહેરસભા યોજવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હોવાનું અને ભાજપના કાર્યકર્તાઓમાં ઉત્સાહના ઘોડાપુર ઉમટયા છે.

(4:12 pm IST)