Gujarati News

Gujarati News

News of Friday, 12th April 2019

હળવદના સુપ્રસિદ્ઘ શરણેશ્વર મહાદેવને શીશ નમાવતા વિજયભાઈ

હળવદઃ રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી  સભા સંબોધતા પહેલા હળવદના સુપ્રસિદ્ઘ શરણેશ્વર મહાદેવના નિજ મંદિરમાં પધારીને મહાદેવના આશીર્વાદ પ્રાપ્ત કરેલ હતા. અતિ પૌરાણિક એવા શરણેશ્વર મંદિર અને મંદિર પ્રાંગણમાં આવેલ હેરિટેજમાં જેનો સમાવેશ થયેલ છે તેવી કલ્યાણ વાવના ભવ્ય ઐતિહાસિક વારસા વિશે જાણીને અભિપ્રેરીત થયેલ હતા. સાથે સાથે શરણનાથ સેવા મંડળની નિઃશુલ્ક સેવાકિય પ્રવૃત્તિઓ અને મંડળ દ્વારા ચાલતી માનવસેવા, સમાજસેવા, ની કાર્ય પ્રણાલી જોઈ ખૂબ જ પ્રસન્નચિત થયેલ હતા. આ અવસરે શરણનાથ સેવા મંડળ ના પ્રમુખ શ્રી દ્યનશ્યામભાઈ યાજ્ઞિક, નરેશભાઈ રાવલ, ધર્મેશભાઈ જોશી, હીમાંશુભાઈ ગૌસ્વામી, પિયુષભાઈ વૈષ્ણવ, શનીભાઈ ત્રિવેદી, કમલભાઈ મહેતા, વૈભવભાઈ જોશી તેમજ તમામ શરણનાથ વૈદિક પાઠશાળા ના ઋષિકુમારો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર વડે આશીર્વચન સહ શુભેચ્છા મેળવીને શરણેશ્વર મહાદેવના શરણમાં પધારી ધન્યતા પ્રાપ્ત કરી હતી.(તસ્વીર.અહેવાલઃ દિપક જાની.હળવદ)

(12:18 pm IST)