Gujarati News

Gujarati News

News of Thursday, 12th March 2020

સાવરકુંડલા ચોકડીએ પ્રવેશદ્વારનું નિર્માણ ગતિમાં

 દામનગરઃપટેલ સમાજ ના અગ્રણીઙ્ગ સ્વ. ભુપતભાઈ દેવજીભાઈ નારોલાનું  નિધન થયું હતું.તેમના પુત્રો યોગેશભાઈ (મુંબઈ) પ્રકાશભાઈ (સુરત)રાજેશભાઈ (દામનગર) દ્વારા દામનગર શહેરના હાર્દ સમાં વિસ્તારમાં ગારીયાધાર- સાવરકુંડલા ચોકડી ઉપર બે ભવ્ય પ્રવેશ દ્વાર બનાવવાનું નકી કરેલ અંદાજિત રૂ.૨૧૦૦૦૦૦૦  એકવીસ લાખના ખર્ચે ભવ્ય બે પ્રવેશ દ્વારના નિર્માણનું કાર્ય અત્યારે પુર જોશમાં ચાલી રહ્યું છે. દામનગર શહેરની શોભા વધારતા આ પ્રવેશ દ્વાર નું ખુબજ ટૂંક સમયમાં લોકાર્પણ કરવામાં આવી રહ્યુ છે. ત્યારે દામનગર શહેરની શોભામાં સતત વધારો કરવાની નેમ સાથે રાજુભાઈ નારોલાએ આ ઉમદા કાર્ય કરતાં દામનગર શહેરને આ બે ભવ્ય પ્રવેશ દ્વાર દામનગર શહેરની સુવિધા આ શહેરના વિકાસમાં એક ઓર મોર પીછું ઉમેરાયં જશે તેવું અંતમાં તેઓએ જણાવ્યું હતું.

(11:40 am IST)