Gujarati News

Gujarati News

News of Tuesday, 12th March 2019

લોધીકા તાલુકાના ૭૫ આગેવાન - કાર્યકરો અમદાવાદ જનસંપર્ક રેલીમાં જોડાયા

તાલુકા કોંગ્રેસ પ્રમુખ મયુરસિંહ જાડેજાની આગેવાની હેઠળ

રાજકોટ, તા. ૧૨ : લોકસભા ચૂંટણીને અનુલક્ષીને આજે અમદાવાદ ખાતે કોંગ્રેસની રાષ્ટ્રીય કાર્યકારીણી બેઠક મળવા જઈ રહી છે ત્યારે જનસંપર્ક મહારેલીનું પણ આયોજન થયું છે. તેમાં સોનિયાજી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી મોદી સામે ચૂંટણી જંગનું રણશીંગુ ફૂંકનાર છે ત્યારે સૌરાષ્ટ્રમાં કોંગ્રેસી આગેવાનોમાં ભારે ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે. લોધીકા તાલુકા કોંગ્રેસના યુવાન પ્રમુખ મયુરસિંહ જાડેજાની આગેવાનીમાં વિશાળ સંખ્યામાં આગેવાન - કાર્યકરો રવાના થયા હતા.

તાજેતરમાં લોધિકા તાલુકા પંચાયતમાં ભાજપના બળવાખોર જૂથને પદભ્રષ્ટ કરી કોંગ્રેસી વાવટો ફરકાવવામાં અહમ ભૂમિકા ભજવનાર તાલુકા કોંગ્રેસના પ્રમુખ મયુરસિંહ જાડેજા (રાતૈયા) આજે કોંગ્રેસની જનસંપર્ક રેલીમાં ૭૫ જેટલા આગેવાનો તથા કાર્યકરો સાથે વાહનના કાફલામાં અમદાવાદ પહોંચ્યા છે. તેમના જણાવ્યા મુજબ કાર્યકરોમાં ભારે ઉત્સાહ છે. તેમની સાથે મુખ્ય આગેવાનો સંજયભાઈ સોજીત્રા, દિનેશભાઈ મેત્રા, નરેન્દ્રસિંહ જાડેજા, સવજીભાઈ પરમાર, જયદેવસિંહ જાડેજા તથા ગોવિંદભાઈ પરમાર સહિતના આગેવાનો જોડાય છે.

(11:51 am IST)