Gujarati News

Gujarati News

News of Tuesday, 12th March 2019

પાંચ દિવસ પહેલા દાઝેલા ચોટીલા ગારીડાના કોળી યુવાન કાળુભાઇ ધરજીયાનું મોત

રાજકોટ તા. ૧૨: ચોટીલાના ગારીડા ગામે રહેતાં કાળુભાઇ જાદવભાઇ ધરજીયા (ઉ.૩૫) નામના કોળી યુવાન તા. ૭ના રોજ દાઝી જતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. અહિ ગત રાત્રીના તેણે દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો છે.

કાળુભાઇ પાંચ દિવસ પહેલા સાંજે આઠેક વાગ્યે ચુલા પર રસોઇ બનાવતાં હતાં ત્યારે કેરોસીન નાંખતા ભડકો થતાં દાઝી જતાં ચોટીલા સારવાર અપાવી રાજકોટ દાખલ કરાયા હતાં. અહિ રાત્રીના મોત નિપજતાં હોસ્પિટલ ચોકીના મહેન્દ્રભાઇ પરમાર અને દિપસિંહ ચોૈહાણે કાગળો કરી ચોટીલા પોલીસને જાણ કરી હતી. મૃત્યુ પામનાર કાળુભાઇ સાત ભાઇ અને બે બહેનમાં વચેટ હતાં અને ખેતમજૂરી કરી ગુજરાન ચલાવતાં હતાં. સંતાનમાં બે પુત્રો છે જેણે પિતાનું છત્ર ગુમાવતાં ગમગીની છવાઇ ગઇ હતી. ચોટીલા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. (૧૪.૫)

(11:49 am IST)